Plot No. 901/B, GIDC Estate, Ankleshwar. Dist. Bharuch - 02
vsanskardeep@gmail.com
02646 255435

About Us

About Us

              વર્ષ ૧૯૯૧ ના જુન માં ટ્રસ્ટ દ્વારા શરુ કરવામા આવેલી શાળાનું નામ સંસ્કારદીપ શાળા રાખવામાં આવ્યુ. જી.આઇ.ડી.સી દ્વારા ફાળવાયેલ આર.બી.એલ પ્રકારના મકાનમાં શરૂ કરવામાં આવેલી આ શાળાને પોતાના મકાનની જરૂરિયાત ઊભી થતા જી.આઇ.ડી.સી ને વિનંતી  કરતા જી.આઇ.ડી.સી દ્વારા ૧૯૯૨ થી ૧૯૯૬ સુધીમાં ૧૪૦૦૦ ચો.મીટર જ્ગ્યા ફાળવવા માં આવી. યુનાઈટેડ ફૉસ્ફરસ લિમિટેડ તથા લોક ફાળા દ્વારા માતબર દાન મળતા વર્ષ ૧૯૯૩ માં જમીનપર ખાત મુહુર્ત કરી મકાન બાધકામ શરૂ કર્યુ. વર્ષ ૧૯૯૪માં પ્રથમ ચરણનું કાર્ય પૂર્ણ કરી શાળાને જી.આઈ.ડી.સી.ના ક્વાટર્સમાંથી નવા મકાનમાં સ્થળાંતર કરવામાં આવી. વર્ગખંડ ઓછા હોવાના કારણે શાળા બે પાળીમાં ચલાવવામાં આવતી હતી. ટ્રસ્ટી મંડળે ઉત્તમ શિક્ષણ માટે શાળાને એક પાળીમાં ચલાવવાં માટે બીજા ચરણનું બાંધકામ હાથ પર ધરવાનું નક્કી કર્યુ. જે વર્ષ ૧૯૯૯ માં પૂર્ણ થાતા શાળા એક પાળીમાં કરવામાં આવી

             સંસ્થાને આજ પર્યત મળેલ દાન રૂપિયા ૫,૦૧,૧૦,૫૦૨/- પૈકી  જે તે સમયે મહત્તમ દાન રૂપિયા ૬૩,૯૯,૨૭૫/-આપનાર યુનાઈટેડ ફૉસ્ફરસ લિમિટેડના સૂચન મુજબ શાળાનું નામ સંસ્કારદીપ વિદ્યાલયમાંથી શ્રીમતી પુષ્પાવતી દેવીદાસ શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય  વર્ષ ૧૯૯૫માં  બદલવામાં આવ્યું .

શાળામાં વધુ ઉત્તમ શિક્ષણ આપવાના હેતુથી સમયાંતરે નવા પ્રકલ્પો શરૂ થતાં ભૌતિક સુવિધાઓ વધારવામાં આવી આ બધી સુવિધાઓ માટે મુખ્યત્વે જે દાતાઓનો સિંહફાળો રહ્યો છે તેમાં સૌ પ્રથમ ૨૦૦૨ માં નિર્માણ થયેલ  ‘શ્રી લક્ષ્મણભાઇ પટેલ પ્રાર્થનાખંડ’ માટે,  શ્રી પારૂલભાઈ પટેલ (નિશાંત એન્ટર પ્રાઈઝ) દ્વારા  દાન મળ્યુ.  વર્ષ ૨૦૧૭ માં તૈયાર થયેલ ‘જીવન કૌશલ્ય કેન્દ્ર’ ના નિર્માણ માટે કે. પટેલ કેમો ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા  દાન મળ્યું. હમેશા સત્કાર્યો કરવાની ભાવનાને કારણે ફરી ૨૦૧૯ માં તપોવન ગર્ભસંસ્કાર કેન્દ્રના નવા મકાન માટે કે.પટેલ  કેમોફાર્મા  ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા  દાન આપવામાં આવ્યું.વર્ષ ૨૦૧૮માં અવકાશ વિજ્ઞાનના જ્ઞાનમાં વધારો થાય તેવા શુભ આશયથી સુભશ્રી પિગ્મેંટ દ્વારા   ‘સુભશ્રી પિગ્મેંટ પ્લેનેટેરિયમ’ બનાવવામાં આવ્યું. ૨૦૨૦માં શાળાના મેદાનમાં તૈયાર થયેલ ‘સુયોગ ડાય કેમી સાયન્સ પાર્ક’ માટે શ્રી ચંદ્રેશભાઈ દેવાણી (સુયોગ ડાય કેમી પ્રા .લિમિટેડ ) દ્વારા  દાન આપવામાં આવ્યું . ૨૦૨૦ માં તૈયાર થયેલ ‘શ્રી ડી.એ.આણંદપુંરા સાંસ્કૃતિક રંગમંચ’ માટે આણંદપુરા પરિવાર દ્વારા  દાન આપવામાં આવ્યું.વર્ષ ૨૦૨૨માં તૈયાર થયેલ ક્રીએટીવ લર્નીંગ સેંટર માટે શ્રી ભૂપતભાઈ રામોલીયા તરફથી  તેમજ કાઉન્સલીંગ અને મહિલા ઉદ્યોગ સાહસિકતા કેન્દ્રના પ્રકલ્પ માટે શ્રી મહેશભાઈ પટેલ તરફથી દાન આપવામાં આવ્યું . ટ્રસ્ટની પ્રવૃત્તિ માટે રૂપિયા ૫૦૦૦થી વધુ દાન આપનાર કુલ ૪૫૦  જેટલા દાતાઓ છે.આ સૌ દાતાશ્રીઓના સહકારથીજ સમગ્ર સંકુલમાં અનેક પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. 

  ઉપરોક્ત પ્રકલ્પોના નિયમિત ખર્ચ પેટે દર વર્ષે પ્રકલ્પના દાતાઓ શ્રી કે.પટેલ કેમો ફાર્મા ઈન્ડિયા લિમેટેડ તેમજ સુભશ્રી પીગમેન્ટ પ્રાઈવેટ લિમેટેડ તરફથી આર્થિક યોગદાન મળતુ રહે છે .