Plot No. 901/B, GIDC Estate, Ankleshwar. Dist. Bharuch - 02
vsanskardeep@gmail.com
02646 255435
Facilities at Sanskadeep Vidyalay

Certified Teachers

Even the all-powerful Pointing has no control about the blind texts it is an almost unorthographic.

Facilities at Sanskadeep Vidyalay

Special Education

Even the all-powerful Pointing has no control about the blind texts it is an almost unorthographic.

Facilities at Sanskadeep Vidyalay

Book & Library

Even the all-powerful Pointing has no control about the blind texts it is an almost unorthographic.

Facilities at Sanskadeep Vidyalay

Certification

Even the all-powerful Pointing has no control about the blind texts it is an almost unorthographic.

About Us

સંસ્કારદીપ શાળા સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલિત સંસ્કારદીપ શાળા યુગ પુરુષ મહાત્મા ગાંધી અને સ્વામી વિવેકાનંદના આદર્શો તથા જીવન મૂલ્યોને ઊગતી પેઢીમાં રોપીને તેમના જીવનનું સાચું ઘડતર કરે છે.તેમજ ઉત્તમ શિક્ષકો દ્વારા વિષયોના જ્ઞાનને નવી શૈક્ષણિક પદ્ધતિ દ્વારા શીખવીને વિદ્યાર્થીઓની તેજ્સ્વીતા વધે તેવા પ્રયત્નો થઇ રહેલ છે. હાલ શાળામાં પૂર્વ  પ્રાથમિકથી ધો. ૧૦ સુધી ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શાળાનું રમણીય વાતાવરણ બાળકોને પ્રકૃતિની નજીક લઇ જાય છે. તેમજ વિદ્યાલયના સુંદર મકાન અને સ્વચ્છ હવા-ઉજાસવાળા વર્ગખંડોમાં વિદ્યાર્થીઓ મુક્ત મને અભ્યાસ કરે છે.


શાળાનો ધ્યેયમંત્ર ‘તેજસ્વીના વધીતમસ્તુ’

શાળા સતત વિકાસ તથા તેજસ્વીતા તરફ આગળ વધે તેવા અભિગમ સાથે ‘તેજસ્વીના વધીતમસ્તુ’ ધ્યેયમંત્ર સ્વીકારેલ છે. અમારું અધ્યયન તેજસ્વી બનો અર્થાત અમે ગુરુ અને શિષ્ય બન્ને ઉત્તમ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરી તેજ્સ્વી બનીએ. ગુરુની તેજસ્વીતા શિષ્યને તેજસ્વીતા તરફ લઇ જાય એ રીતે બન્ને સાથે મળીને પુરુષાર્થ કરે ઉદ્યમી બને અને અનંત જ્ઞાનની પ્રાપ્તિ પાછળ મંડ્યા રહે. બંનેમાં શીલસદાચાર,સંસ્કાર,નમ્રતા,યોગ્યતા સત્ય,વિનય,નિષ્ઠા,બુદ્ધિચાતુર્ય જેવા ગુણો વિકસતા રહે..

About Sanskardeep Vidyalay

News & Events

Date : 15/08/2025

અંકલેશ્વર જી.આઇ.ડી.સી માં આવેલ શ્રીમતી પી. ડી. સંસ્કારદીપ વિદ્યાલયમાં આજ રોજ સ્વાતંત્ર્યપર્વની ઉજવણી કરવામાં આવી હતી ધોરણ- 10 માં દ્વિતીય ક્રમાંક મેળવનાર નિષ્ઠા જોષીના વાલી રાજેશકુમાર જોષીના વરદ હસ્તે ધ્વજા રોહણ કરાવવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના, ધ્વજવંદન, પ્રાસંગિક વક્તવ્ય અને દેશભક્તિ ગીતથી રજૂ કરી કાર્યક્રમને શોભાન્વિત કરવામાં આવ્યો હતો ત્યારબાદ મુખ્ય મહેમાનશ્રી તેમજ સંસ્કારદીપ ટ્રસ્ટના માનદ્દમંત્રી હિતેનસર દ્વારા પ્રસંગને અનુરૂપ આશિર્વચન પાઠવવામાં આવ્યા હતા ત્યારબાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

Date : 23/12/2025

તારીખ - 23/12/2025 ના રોજ નવસારી મુકામે કલા મહાકુંભ ઝોન કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી જેમાં સંસ્કારદીપ વિદ્યાલયની વિદ્યાર્થિની કુ.સંધ્યા વાળા તથા મનસ્વી એ લોક વાર્તામાં શાળાનું પ્રતિનિધિત્વ કર્યું હતું જેમાં કુ.સંધ્યા વાળા એ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.

આ વિદ્યાર્થીની તારીખ - 31/12/2025 ના રોજ સુરત મુકામે કલા મહાકુંભમાં લોકવાર્તામાં રાજ્ય કક્ષાએ શાળાનું પ્રતિનિધિત્વ કરશે શાળા પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છા...

Date : 02/04/2026

આજના શુભ દિવસે શાળામાં શૈક્ષણિક સત્ર વર્ષ 2026–27 ની શરૂઆત મા શારદાની આરાધના સાથે કરવામાં આવી જે જ્ઞાન, વિદ્યા અને સંસ્કારનો પવિત્ર પ્રારંભ દર્શાવે છે.

મા શારદા (સરસ્વતી માતા)ની કૃપાથી વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાય, શિક્ષકોને પ્રેરણા મળે અને સમગ્ર શાળા પરિવારમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે — એવી હાર્દિક પ્રાર્થના.

નવા શૈક્ષણિક વર્ષ માટે તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શુભેચ્છાઓ — આ વર્ષ સફળતા, સિદ્ધિ અને પ્રગતિથી ભરેલું રહે એવી અભ્યર્થના..

Sanskardeep News & Events
Date : 25/04/2026

આજે શ્રીમતી પુષ્પાવતી દેવીદાસ શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ AI તથા રોબોટિક્સ લેબનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ લેબનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નવીનતા, સંશોધન અને ટેક્નોલોજી પ્રત્યેની રસિકતા વધારવાનો છે.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે acutaas કેમિકલ લિમિટેડના કંપની સેક્રેટરી શ્રીમતી આરતીબેને પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે આ પ્રકારની લેબ વિદ્યાર્થીઓને ભવિષ્યની ટેક્નોલોજી માટે સજ્જ બનાવશે અને દેશના ડિજિટલ વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
લેબમાં આધુનિક સાધનો, AI આધારિત સોફ્ટવેર, અને રોબોટિક્સ કિટ્સ ઉપલબ્ધ છે, જે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે. આ સાથે વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ આધારિત શિક્ષણ અને ઇનોવેશન માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
આ પ્રસંગે  જણાવ્યું કે સંસ્થા હંમેશા નવીનતા અને ગુણવત્તાસભર શિક્ષણ માટે પ્રતિબદ્ધ રહી છે, અને આ લેબ તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
આ કાર્યક્રમમાં acutaas કંપનીના ડિરેક્ટર શ્રી વિરેન્દ્ર મિશ્રા તથા તેમની ટીમ, સંસ્કાર દીપ ટ્રસ્ટના  ટ્રસ્ટીગણ અને અન્ય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં સૌએ આ નવી પહેલ માટે શુભેચ્છાઓ પાઠવી.

Sanskardeep News & Events
Date : 01/05/2026

આજનું શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું મર્યાદિત નથી. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, અમારી શાળામાં શિક્ષકો માટે Artificial Intelligence (AI) અને Robotics પર એક વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

​આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષકોને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવાનો છે જેથી તેઓ વિદ્યાર્થીઓને આવતીકાલના પડકારો માટે તૈયાર કરી શકે. નવીનતમ ગેજેટ્સ અને કોડિંગના માધ્યમથી શિક્ષણને વધુ રસપ્રદ બનાવવાનો અમારો આ એક નમ્ર પ્રયાસ છે.

Sanskardeep News & Events
Date : 01/05/2026

"સારો વ્યવહાર એ જ એવી ચાવી છે જે કોઈપણ દિલનું તાળું સરળતાથી ખોલી શકે છે.”

આજે સંસ્કારની વિદ્યાલયના ચિત્ર શિક્ષક શ્રી મહેન્દ્રભાઈ દ્વારા લેખક ડો. વિજય ઠક્કરનું પુસ્તક 'લોક વ્યવહાર દ્વારા દિલ જીતવાની કળા' પર બુક રીવ્યુ આપવામાં આવ્યું આ પુસ્તકમાં લેખક મુખ્ય રીતે કહેવા માંગે છે કે માણસ પોતાના સારા વર્તન (લોક વ્યવહાર) દ્વારા બીજા લોકોના દિલ જીતી શકે છે.

ટૂંકમાં કહી શકાય કે

• માણસનો સ્વભાવ, બોલવાની રીત અને વર્તન તેની સૌથી મોટી ઓળખ છે.

• મીઠી ભાષા, સન્માન અને સમજણથી સંબંધો મજબૂત બને છે.

• અહંકાર, ગુસ્સો અને ખરાબ બોલચાલથી લોકો દૂર થઈ જાય છે.

• લોકોની લાગણીઓ સમજવી અને તેમની કદર કરવી ખૂબ મહત્વની છે.

• સારો સંવાદ (communication) અને સહાનુભૂતિ સફળ જીવનની ચાવી છે.

સારાંશમાં, પુસ્તક આપણને શીખવે છે કે “સાચો માણસ બનવો હોય તો પહેલાં સારો વ્યવહાર શીખવો” — કારણ કે દિલ જીતવું જ સાચી સફળતા છે.

Sanskardeep News & Events
Date : 30/04/2026

આજની જનની ચિંતન સભામાં ભરૂચ યશોજય હોસ્પિટલના "ડૉ. રૂપલ ત્રિવેદી" દ્વારા HPV (હ્યુમન પાપિલોમાવાઇરસ) અને ગર્ભાશયના કેન્સર વિશે સામાન્ય રીતે મહત્વપૂર્ણ માહિતી આપી હતી

HPV (હ્યુમન પાપિલોમાવાઇરસ) એ એક પ્રકારનો વાયરસ છે, જે સ્ત્રીઓમાં ગર્ભાશયના કેન્સર માટે મુખ્ય કારણ માનો છે. આ વાયરસના વિવિધ પ્રકારો હોય છે, પરંતુ ખાસ કરીને HPV 16 અને HPV 18 પ્રકારના વાયરસ ગર્ભાશયના કેન્સર માટે વધુ જોખમ ધરાવનારા છે. એમણે બીજા ઘણા કારણ જણાવ્યા જેમાં ગર્ભ નિરોધક ગોળીનો વધારે ઉપયોગ, નાની વયે માતૃત્વ ધારણ કરવું, જનનેન્દ્રિયોની અપૂરતી સ્વચ્છતા થી સર્વાઇકલ કેન્સરના કરણો તથા તેમાંથી કેવી રીતે બચી શકાય તેની સમજ આપી હતી. જેમાં પેપ સ્મીમઅર, કોલ્પોસ્કોપી અને બાયોપ્સી ટેસ્ટ દ્વારા નિદાન થઈ શકે છે.

તેમણે જણાવ્યું હતું કે 9થી14ની દીકરીઓને HPV રસીકરણ દ્વારા આ કેન્સર ને અટકાવી શકાય છે.

 
Sanskardeep News & Events
Date : 28/04/2026

આજ રોજ તા 28/4/2026 મંગળવારે સંસ્કાર દીપ વિદ્યાલયમાં ધોરણ 8, 9 અને 10 માટે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત નિમિત્તે ટ્રસ્ટી મંડળ સાથે એક મહત્વપૂર્ણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મિટિંગમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શાળામાં શરૂ કરવામાં આવેલી નવી AI & Robotics Lab વિશે વિગતવાર માહિતી આપવામાં આવી.આ લેબ દ્વારા વિદ્યાર્થીઓને આધુનિક ટેક્નોલોજી (AI) અને રોબોટિક્સ વિષયક પ્રાયોગિક જ્ઞાન પ્રાપ્ત થશે, જે તેમના ભવિષ્ય માટે અત્યંત ઉપયોગી રહેશે.

Sanskardeep News & Events

Our Facilities

Facilities at Sasnskardeep Vidyalay

વર્ગખંડ

સુશોભિત વર્ગખંડ જેમાં 50 વિદ્યાર્થીઓ મોકળાશથી બેસી શકે તેવી સુવિધા છે.

Facilities at Sasnskardeep Vidyalay

ભોજન ખંડ

સમૂહમાં નાસ્તો કરી શકે તે રીતે રસોડાની નજીક ભોજન ખંડ આવેલ છે.

Facilities at Sasnskardeep Vidyalay

L C D રૂમ

દીવાલ પર વિશાળ પડદા પર ફિલ્મ, સ્લાઇડ કે અન્ય શૈ. સીડી જોવાની વ્યવસ્થા છે.

Facilities at Sasnskardeep Vidyalay

કોમ્પ્યુટર ખંડ

વિદ્યાર્થીઓ એક સાથે બેસીને કોમ્પ્યૂટર નું શિક્ષણ મેળવી શકે તેવી એ.સી. સહિતની અદ્યતન સુવિધા ધરાવતા કોમ્પ્યૂટર ખંડ..

Facilities at Sasnskardeep Vidyalay

સંગીત ખંડ

વર્ગના ૫૦ વિદ્યાર્થીઓ નાના જૂથમાં બેસીને સંગીતના સાત સૂરોનો અભ્યાસ કરે છે 

Facilities at Sasnskardeep Vidyalay

 

ચિત્રકલા ખંડ

૫૦  વિદ્યાર્થીઓ આરામથી બેસી પોતાની કૃતિ તૈયાર કરી શકે તેવી સુવિધા છે .

Facilities at Sasnskardeep Vidyalay

લાઈબ્રેરી 

વિવિધ વિષયોને આવરી લેતા તેમજ નાનાથી મોટા સૌને ઉપયોગી થાય તેવી વાર્તા, નવલિકા , નવલકથા, પ્રવાસવર્ણનો , જીવનચરિત્રો , બૌધ્ધિક્ રમતોને લગતા  સમૃદ્ધ લાઇબ્રેરી અદ્યતન ફર્નિચરથી સુસજ્જ છે. 

31 Years of Experience

Separated they live in. A small river named Duden flows by their place and supplies it with the necessary regelialia. It is a paradisematic country

0 Certified Teachers
0 Successful Kids
0 Happy Parents
0 Awards Won

What Our Director Says

         આપણી  તપોભૂમિ સમી  સંસ્કારદીપ  વિદ્યાલયે  30 વર્ષની લાંબી યાત્રા પૂરી કરી છે.  વિદ્યાર્થીઓના શરીર મન અને બુદ્ધિને ઉત્તમ રીતે કેળવવાના પ્રયાસરૂપે આ શાળામાં સતત નવતર પ્રયોગો થતા રહ્યા છે.  સમયાંતરે નવા પ્રકલ્પો પણ શરૂ થતા ગયા. જે સફળ પણ થયા. હજી આવનારા  ભવિષ્યમાં  શિક્ષણ કાર્યમાં હકારાત્મક પરિવર્તન તેમજ ખૂબ જરૂરી એવા નવા પ્રકલ્પો શરૂ કરી આવનારા ભવિષ્ય માટે નવી પેઢીને ઉત્તમ રીતે તૈયાર કરવાનું આયોજન થઈ રહ્યું છે.

Director message at Sanskardeep Vidyalay

What Our Principal Says

         'શુભની શક્તિમાં શ્રદ્ધા' એ વેદોક્ત ઉક્તિને ચરિતાર્થ કરતી આપણી સંસ્કારદીપ શાળા અવિરત ત્રણ દાયકાઓથી સંસ્કૃતિ અને વેદ વિજ્ઞાનના અતુલ્ય સમન્વય થકી ઉત્તરોત્તર પ્રગતિના સોપાન સર કરી રહી છે ત્યારે તેના ચણતરમાં શાળાના અધ્યક્ષ, માનદમંત્રી તથા સર્વે ટ્રસ્ટી મંડળની દૂરંદેશી એવમ વિદ્યાર્થીઓના ઘડતરમાં નિષ્ઠાવાન શિક્ષકોનો ઉત્સાહ, સ્નેહમૂર્ત સમા અભિગમે આ શૈક્ષણિક સંકુલને સાચા અર્થમાં જ્ઞાનના મંદિર તરીકે પ્રસ્થાપિત કર્યું છે.તો વળી શાળાના પ્રત્યેક વિદ્યાર્થીઓએ પણ વખતોવખત પોતાના જ્ઞાન,કૌશલ્ય અને પ્રતિબધ્ધતાને ઉજાગર કરી છે.વિદ્યાર્થીઓમાં કેવળ શિક્ષણ નહીં પણ માનવીય મૂલ્યોના પાઠ આપણી શાળા સંકુલનું સવિશેષ આભૂષણ તરીકે ઉપસી આવ્યુ છે.તો જનની ચિંતન સભામાં માતાઓમા શીલતાને ભરી વિદ્યાર્થીઓનુ જતન કરતુ આ શૈક્ષણિક સંકુલ વાલી વિદ્યાર્થી અને શિક્ષકનો ત્રિવેણી સંગમનું ઘાટ બનીને રહ્યુ છે ત્યારે ખુદ માઁ સરસ્વતી પણ તેના પરમ વૈભવના શિખરે દૈદીપ્યમાન થઇ આપણી શાળાને આશીર્વાદ આપતી રહી છે.'તેજસ્વી નાવધીતમસ્તુ' અંધકારમાંથી પ્રકાશ તરફ ગતિ કરવાનો અભિગમ જ આપણી શાળાની પ્રતિબધ્ધતા છે.

Principal message at Sanskardeep Vidyalay

What Our Parents Says